ગ્રીક દાર્શનિક પ્લેટોના શિષ્ય અને મહાન એલેકઝાન્ડરના ગુરુ ઍરિસ્ટોટલ (ઈ.પૂ. ૩૮૪-૩૨૨) પશ્ચિમમાં વિસ્તરેલી અનેક વિદ્યાશાખાઓના આદ્યપિતા ગણાય. વૈજ્ઞાનિક અભ્યાસ પઘ્ધતિના વિકાસમાં એમણે મહત્વનો ફાળો આપ્યો, તો તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો એમણે પાયો નાખ્યો તેમજ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોમાં યોગદાન કર્યુ. આને પરિણામેઍરિસ્ટોટલ પ્રાચીન વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વવિદ્યાવિશારદ (એન્સાઈક્લોપીડિસ્ટ) તરીકે નામના પામ્યા. ઍરિસ્ટોટલ પાસે વિદ્વાનો સતત આવતા રહેતા અને બધા એમની પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરતા હતા, આમ છતાં સ્વયં ઍરિસ્ટોટલ પોતાને ક્યારેય જ્ઞાની માનતા નહોતા એટલું જ નહીં, બલ્કે હંમેશાં નવું નવું જ્ઞાન મેળવવા માટે આતુર રહેતા. નાના બાળક પાસેથી કે યુવાન પાસેથી પણ શીખવામાં એમને કોઈ નાનમ નહોતી.
એક દિવસ એમના પરમ મિત્રએ આશ્ચર્યસહિત કહ્યું, ‘દેશમાં પ્રખર વિદ્વાનો તમારી પાસે જ્ઞાનપ્રાપ્તિ અર્થે આવે છે અનેએ મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે. આમ છતાં મને આશ્ચર્ય એ થાય છે કે તમે હંમેશાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરવા માટે ઉત્સુક રહો છો. તમારે એમની પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરવાની શી જરૂર છે ? કે પછી એમને ખુશ રાખવા માટે આવું કરો છો.’
મિત્રની વાત સાંભળીને ઍરિસ્ટોટલ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘સહુ કોઈની પાસે કંઈકને કંઈક જ્ઞાન કે જાણકારી હોય છે કે જે બીજાની પાસે હોતી નથી. એથી દરેક વ્યક્તિએ હંમેશાં શીખવાની તૈયારી રાખવી જોઈએ. સાચા શિક્ષકનું આ લક્ષણ છે. જ્ઞાન તો અનંત છે. એની કોઈ સીમા નથી. હું સદૈવ એની પ્રાપ્તિ માટે આતુર રહીશ.’
ઍરિસ્ટોટલની જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા જોઈને એમનો મિત્ર પ્રસન્ન થઈ ગયો.
ઍરિસ્ટોટલની જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા જોઈને એમનો મિત્ર પ્રસન્ન થઈ ગયો.

અઘ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય એ જ આજના યુગની માગ છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવિરત હરણફાળ ભરતી અને સંહારશાસ્ત્રો વચ્ચે શ્વાસ લેતી માનવજાતિને સંહારના બદલે સર્જન અને સ્પર્ધાને બદલે સુખ-શાંતિના પંથે લઈ જવી હોય, તો વિજ્ઞાન અને અઘ્યાત્મ બંનેનો સમન્વય જરૂરી છે.
બૌદ્ધિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ એ બંનેનો તંતુ એકબીજા સાથે જોડવામાં આવે, તો જ ઉમદા માનવીનું નિર્માણ કરી શકાય. બાહ્ય દ્રષ્ટિએ તદ્દન ભિન્ન લાગતી આ બે બાબતોનો સમન્વય કઈ રીતે સાધી શકાય? કયા સેતુ દ્વારા આ સામસામે છેડે આવેલી બે બાબતોને જોડી શકાય?
કોઈ એક વિરલ પળે ૨૦૦૩ની ૧૫મી ફેબુ્રઆરીએ દેશના પ્રખર વિજ્ઞાની પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને સમર્થ દાર્શનિક આચાર્ય મહાપ્રજ્ઞજીએ સાથે મળીને આ વિષય પર ચંિતન કર્યું. બંનેએ અનુભવ્યું કે ઉમદા વિચારો ધરાવતા સારા નાગરિકોનું નિર્માણ જરૂરી છે અને તેને માટે બૌદ્ધિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ વચ્ચે રહેલું અંતર દૂર કરવાની આવશ્યકતા છે.
આ સંદર્ભમાં પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે આજે આખું જગત પોતાનાં સંતાનોને કાજે સારી કેળવણી ઝંખે છે, કારણ કે બાળકો જ આ સમાજમાં પરિવર્તન લાવી શકે તેમ છે. મનુષ્યજાતિના ત્રીજા ભાગનો હિસ્સો એટલે કે આશરે ત્રણસો મિલિયન બાળકો આ ધરતી પર છે. એ બાળકોમાં તમારે પરિવર્તન આણવાનું છે. વૃદ્ધોથી ભિન્ન પ્રકારે એમનું નિર્માણ કરવાનું છે. આમ કરીએ તેનો અર્થ જ એ કે આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઈચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ?
આ સંદર્ભમાં આચાર્ય મહાપ્રજ્ઞજી અને વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને એનો એ નિષ્કર્ષ તારવ્યો કે જો તમારે શાંતિપૂર્ણ જીવવું હોય અને તમે ઈચ્છો કે એક અબજ ભારતીયો શાંતિપૂર્ણ રીતે જીવે, તો એને માટે શિક્ષણ દ્વારા ‘હું’ અને ‘મારું’ની ભાવના છોડવાનું શીખવવું જોઈએ. જ્યારે તમે તમારી જાતને પૂછો કે કઈ રીતે તમે ‘હું’ અને ‘મારું’ એ ભાવને છોડી શકશો? જે દિવસે તમે આ ભાવ છોડશો, તે દિવસે તમારો અહંકાર નષ્ટ થઈ જશે.
આ સંદર્ભમાં પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે આજે આખું જગત પોતાનાં સંતાનોને કાજે સારી કેળવણી ઝંખે છે, કારણ કે બાળકો જ આ સમાજમાં પરિવર્તન લાવી શકે તેમ છે. મનુષ્યજાતિના ત્રીજા ભાગનો હિસ્સો એટલે કે આશરે ત્રણસો મિલિયન બાળકો આ ધરતી પર છે. એ બાળકોમાં તમારે પરિવર્તન આણવાનું છે. વૃદ્ધોથી ભિન્ન પ્રકારે એમનું નિર્માણ કરવાનું છે. આમ કરીએ તેનો અર્થ જ એ કે આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઈચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ?
આ સંદર્ભમાં આચાર્ય મહાપ્રજ્ઞજી અને વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને એનો એ નિષ્કર્ષ તારવ્યો કે જો તમારે શાંતિપૂર્ણ જીવવું હોય અને તમે ઈચ્છો કે એક અબજ ભારતીયો શાંતિપૂર્ણ રીતે જીવે, તો એને માટે શિક્ષણ દ્વારા ‘હું’ અને ‘મારું’ની ભાવના છોડવાનું શીખવવું જોઈએ. જ્યારે તમે તમારી જાતને પૂછો કે કઈ રીતે તમે ‘હું’ અને ‘મારું’ એ ભાવને છોડી શકશો? જે દિવસે તમે આ ભાવ છોડશો, તે દિવસે તમારો અહંકાર નષ્ટ થઈ જશે.
હું’ અને ‘મારું’ એ દૂર કરવું અત્યંત મુશ્કેલ કામ છે. એ સૌથી મોટું બાધક તત્ત્વ છે અને ઉમદા પુરુષોને માટે એ સૌથી મોટો પડકાર છે. શું શિક્ષણ બાળકોને એ રીતે કેળવે છે કે કઈ રીતે તમારામાંથી ‘હું’ અને ‘મારું’નો ભાવ ચાલ્યો જાય? કદાચ બાળકો એ આસાનીથી શીખી શકશે. મોટાઓને માટે એ મુશ્કેલ છે, પરંતુ જો બાળકોને શીખવવામાં આવે, તો અહંકારને મિટાવી શકે છે. અહંકાર નષ્ટ થશે તો દ્વેષ નષ્ટ થશે અને પરિણામે હંિસાનો ભાવ સમાપ્ત થઈ જશે. વર્તમાન વિશ્વને આની જ આવશ્યકતા છે.
માનવી નિરંતર યુદ્ધ ખેલી રહ્યો છે. જો ક્યાંય યુદ્ધ ખેલાતું ન હોય તો એ પોતે સ્વયં યુદ્ધ સર્જે છે. આ યુદ્ધ એના મનમાં ખેલાય છે અને એ નિરંતર આંતરિક અને બાહ્ય રીતે યુદ્ધ ખેલી રહ્યો છે. આ સમયે મને એક પ્રસંગ યાદ આવે છે.
૧૯૬૨માં મારા અઘ્યાપક અને મારા ગુરુ પ્રો. વિક્રમ સારાભાઈ હતા. તેઓ અંતરિક્ષીય વિકિરણોના એક પ્રસિદ્ધ વિજ્ઞાની હતા. આ ક્ષેત્રમાં તેઓ વિશેષ સંશોધન કરવા માગતા હતા અને તેમણે કેરાલાના થુમ્બા નામની જગ્યા શોધી, જે ભૂમઘ્ય રેખાની નજીક હતી અને વૈજ્ઞાનિક પ્રયોગને માટે સર્વથા યોગ્ય હતી.
એમણે અધિકારીઓ પાસેથી એ ચારસો એકર જમીનની માગણી કરી. અધિકારીઓએ કહ્યું કે તમે ઘણી મોટી માગણી કરો છો. આ ચારસો એકર જમીન પર હજારો માછીમારોની આજિવિકા આધારિત છે તથા મૅરીનું ચર્ચ તેમજ બિશપનું ઘર પણ આપેલું છે. તમે એ ચર્ચ કઈ રીતે માગી શકો?
પ્રો. વિક્રમ સારાભાઈએ એમ હાર માની લીધી નહીં. તેઓ નેતાઓને મળવા ગયા. એમણે કહ્યું, ‘‘વિક્રમ, તમે એક સારા વૈજ્ઞાનિક છો, પરંતુ તદ્દન અશક્ય ચીજ માગી રહ્યા છો. હવે તમને માત્ર એક જ વ્યક્તિ મદદ કરી શકે અને તે છે ચર્ચના બિશપ ફાધર પીટર પરેરા.’’
શનિવારની સાંજે ડૉ. વિક્રમ સારાભાઈ બિશપના ઘેર ગયા અને કહ્યું, ‘‘ફાધર, મને વૈજ્ઞાનિક પ્રયોગો માટે થુમ્બા ક્ષેત્ર જોઈએ છીએ.’’ વિક્રમ સારાભાઈએ ફાધરને જોયા અને ફાધરે વિક્રમ સારાભાઈને. બંનેમાં એક અસાધારણ ગુણનું સામ્ય હતું. વિક્રમ સારાભાઈ હસ્યા અને ફાધર પણ હસ્યા. બંનેનું હાસ્ય અપૂર્વ સંયોગ બની ગયું. પછી ફાધર પરેરાએ કહ્યું,
‘‘તમે અસંભવ ચીજની માગણી કરો છો. તમે ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાની છો. તમે મારું ઘર મેળવવા ચાહો છો, એક પાદરીનું ઘર ઈચ્છો છો, એ હું કઈ રીતે આપી શકું? કાલે રવિવારીય ધર્મસભામાં ચર્ચમાં આ વિશે હું લોકો સાથે વાતચીત કરીશ.’’
રવિવારે સવારે આઠ વાગે ડૉ. વિક્રમ સારાભાઈ ચર્ચમાં ગયા અને ચર્ચની બેઠકની છેલ્લી હરોળમાં બેઠા. ફાધર પિટર પરેરા બાઈબલ વાંચી રહ્યા હતા. પ્રાર્થના પૂર્ણ થતાં એમણે વિક્રમ સારાભાઈ અને એમના સાથીઓને મંચ પર બોલાવ્યા. એમણે વિક્રમ સારાભાઈનો એક અંતરિક્ષીય વિજ્ઞાની તરીકે પરિચય આપ્યો અને કહ્યું, ‘‘આ વિજ્ઞાનીઓ પ્રશ્ન કરે છે, તર્ક કરે છે અને એનું સમાધાન શોધે છે, વીજળી, સંચારસાધનો અને દવાઓનો આવિષ્કાર કરે છે. ખેતીના ક્ષેત્રમાં નવી શોધો કરે છે અને એ રીતે વિજ્ઞાનીઓ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. લોકોને ભૌતિક સુખ પ્રદાન કરે છે. હું જે આપું છું તે આઘ્યાત્મિક છે. હું ભગવાન પાસે તમારા પાપને માટે ક્ષમા અને તમારી આઘ્યાત્મિક સુખશાંતિ માટે પ્રાર્થના કરું છું. પરંતુ સારી રીતે જીવવા માટે ભૌતિક સુખ અને આઘ્યાત્મિક સુખ બંને મહત્ત્વના છે. મારો તમને લોકોને પ્રશ્ન એ છે કે આપણે એમને ચર્ચનું સ્થાન આપીશું ખરા? અહીં તેઓ વર્ષભર પ્રયોગો કરશે અને પછી એક વર્ષ બાદ આપણને આ સ્થાન પાછું આપશે.’’
સારાભાઈને વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચર્ચ મળ્યું. જ્યાંથી ડૉ. અબ્દુલ કલામે એમનું પહેલું રોકેટ (ઉપગ્રહ) અંતરિક્ષમાં છોડ્યું. ટેકનિકનો વિકાસ કર્યો અને આજે આ સ્થળે ઘણી મોટી મોટી ઈમારતો છે.
આ વાત યાદ કરીને ડૉ. કલામે કહ્યું કે, ‘આથી જ આપણે આપણા જીવનમાંથી ‘હું’ અને ‘મારું’નો ભાવ છોડવો જોઈએ ને અઘ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધવા પ્રયત્ન કરવો જોઈએ.’


